શાળાના ધારાધોરણો
(1) શાળા પ્રવેશ અંગેના નિયમો.
- વિધાર્થીને શાળામાં દાખલ કરવા માટે વાલીએ શાળાના આચાર્યશ્રીને નિયત કરેલા અરજીપત્રક પર અરજી કરવી.
- અરજીપત્રક સાથે નીચેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે.
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર ( School Leaving Certificate ) ( 2 નકલ)
- છેલ્લી વાર્ષિક પરીક્ષાના પરિણામપત્રકની નકલ ( 2 નકલ)
- જાતિ અંગેનું પ્રમાણપત્ર ( જો હોય તો )
- પ્રવેશ મળ્યા પછી ઉપર જણાવેલ તમામ અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. તે સિવાય પ્રવેશ માન્ય રહેશે નહીં.
- પ્રવેશ મળ્યા પછી ભરવાપાત્ર થતી ફી ની રકમ તે જ દિવસે જમા કરાવવાની રહેશે. ફી ભર્યા પછી પરત મળશે નહી.
(2) શાળા ફી અંગે ના નિયમો ..
- શાળામા માસિક ફી નુ ધોરણ આ પ્રમાણે રહેશે.
- ધોરણ 9 10 11 વિજ્ઞાન /સામાન્ય પ્રવાહ 12 વિજ્ઞાન /સામાન્ય પ્રવાહ
- નિભાવ ફી ૪૦ ૪૫ ૫૦ ૬૦
- કોમ્પ્યુટર ફી ૫૦ ૫૦ ૫૦ ૫૦
- પ્રવેશ સમયે વિધાર્થીએ શાળાની નિયત કરેલ ફી ભરવાની રહેશે
- વિધાર્થીએ વર્ષ દરમિયાન તમામ પ્રકારની ફી નિયમિત ભરવાની રહેશે.
- વિધાર્થીની કોઈપણ પ્રકારની ફી ની રકમ બાકી હશે તો નિયત રકમ વસુલ કર્યા પછી જ કોઇપણ કાર્યવાહી કરવામાં આવશે.
(3) ગણવેશ અંગેના નિયમો.
- શાળાનો નિયત ગણવેશ , ચેક્સ બ્લુ શર્ટ, બ્લુ પેન્ટ, ટાઈ, બેલ્ટ, સફેદ મોજા, કાળા દોરીવાળા શુઝ.
- શાળામાં ગણવેશ ફરજીયાત છે. અધૂરો ગણવેશ માન્ય રહેશે નહીં.
- વિધાર્થીએ સ્વચ્છ , સુઘડ અને વ્યવસ્થિત ગણવેશમાં શાળામાં આવવાનું રહેશે.
(4) શાળામાં હાજરી અંગેના નિયમો
- શાળામાં વિધાર્થીની પૂરતી હાજરી અનિવાર્ય છે . વર્ષ દરમિયાન હાજરી અપૂરતી હશે તો વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
- શાળામાં ગેરહાજરી અંગેની જાણ અગાઉની કરવાની રહેશે. જાણ કર્યા વિના સતત 3 દિવસ ગેરહાજર રહેશે તો તેનું નામ શાળાપત્રકમાંથી કમી થવાને પાત્ર થશે.
- તબીબી કે અન્ય કોઈ કારણસર વિધાર્થીની લાંબા સમયની ગેરહાજરી અંગે જરૂરી
- આધાર સાથે આચાર્યશ્રીની પરવાનગી મેળવવાની રહેશે. અન્યથા તેની ગેરહાજરી ગણાશે.
- અનિયમિત હાજરી કે સતત ગેરહાજરીના કારણથી વિધાર્થીનું નામ કમી થવાને પાત્ર થશે.
- વિધાર્થી શાળામાં આવ્યા પછી આચાર્યશ્રીની પરવાનગી વિના શાળા છોડી શકશે નહી.
- અનિવાર્ય સંજોગોમાં જવાનું થાય તો વાલીએ રૂબરૂ આવીને સંમતિ મેળવવી.
